
તુલસીના કુંડામાં આ વસ્તુ પધારવવાથી રાત-દિવસ ઘરમાં વધશે પૈસા, દુર થશે પીડા...
સદિઓથી તુલસીના છોડનું ઘણું મહત્વ રહ્યું છે. પુરાણોમાં અને વૈદામાં પણ તુલસીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવવો અને તેની પૂજા કરવી શુભ ગણાય છે. તુલસીનો ઉપયોગ ઔષધિ તરીકે પણ થાય છે. તુલસીના પાનનું સેવન કરવાથી યાદશક્તિ પણ વધે છે. તુલસીનું મહત્વ વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર જો નિયમિત રીતે તુલસીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તુલસીની પૂજાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલસીની પૂજા કરતી વખતે કેટલાક ઉપાયો કરવામાં આવે તો તેનાથી ઘરની દરિદ્રતા પણ દુર થઈ જાય છે.
તુલસીના છોડા પાસે રોજ સવાર-સાંજ દીવો પ્રગટાવવી પૂજા-અર્ચના કરવી ખૂબ જ શુભ ગણાય છે. તુલસી ક્યારે દીવો કરવાથી ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય છે.
તુલસીના છોડમાં નિયમિત જળ અર્પણ કરવું જોઈએ. દરરોજ સવારે સૂર્યોદય સમયે તુલસીજીમાં જળ અર્પણ કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.
તુલસીના છોડમાં શેરડીનો રસ અર્પણ કરવો શુભ માનવામાં આવે છે. તુલસીના છોડમાં શેરડીનો રસ અર્પણ કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે.
આ પણ વાંચો:
શ્રાવણ મહિનામાં આ 4 છોડ ઘરમાં લગાવવાથી મહાદેવની સાથે લક્ષ્મીજીની કૃપા પણ વરસશે...
વરસાદની સિઝનમાં ઘરમાંથી કીડીઓનો ત્રાસ દુર કરવો છે? આ ટિપ્સથી મેળશે અચૂક છુટકારો...
Skin Care : ચેહરો ચમકાવવા આ કુદરતી બ્યુટી ટિપ્સનો કરો ઉપયોગ, મળશે અસરકારક રીઝલ્ટ...
તુલસીના મૂળમાંથી એક ટુકડો તોડી તેની પૂજા કરી અને શુભ મુહૂર્તમાં ગળામાં બાંધવાથી જીવનની સમસ્યા દુર થાય છે. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ ઉપાયથી નજર દોષ દુર થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. (Gujju News Channel) તેની પુષ્ટિ કરતું નથી.)
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ધાર્મિક સમાચાર